Paapo no viraam guno nu bijadhaan – Panchsutra (Gujarati)

575.00

499 in stock

Description

જીવે આ સંસારમાં અનંતીવાર પાપોનો વિરામ કર્યો, અર્થાત્ લબ્ધિમનમાંથી પણ પાપના ભાવો શાંત કર્યા, જેના ફળરૂપે જીવ અનંતીવાર નવમાં ગ્રૈવેયકે પણ જઈ આવ્યો. શુભભાવો ઉપયોગમન અને લબ્ધિમન સુધી છવાઈ ગયા.. દોષો લેશમાત્ર ન દેખાય એ રીતે ગુણોથી આખે-આખો છવાઈ ગયો. અનંતીવાર સમતાધારી મહાત્મા જેવું મન શાંત કર્યું. પણ કઈ રીતે? અંદરમાં રાગ-દ્વેષ, ક્રોધ, અહંકાર આદિના મૂળીયા અકબંધ રહ્યા અને ઉપરથી ડાળી-ડાખળાં એ રીતે સાફ કર્યા કે જાણે ઝાડ હતું જ નહીં એવું લાગે.અર્થાત્ મનની સપાટી પર એક પણ અશુભ ભાવ નથી.. પરંતુ આશ્ચર્યકારી ઘટના એ બની કે જીવે ઘણાં ગુણો પ્રાપ્ત કરવા છતાં એ પાયાના ગુણો ન પામી શક્યો, અને ઘણાં દોષો કાઢવા છતાં પાયાના દોષો સાફ ન કરી શકયો. એના મૂળીયા અકબંધ રહી ગયા.. એટલે ફરી દોષોથી ઘેરાતા વાર ન લાગી…

પુરુષાર્થ તો ગુણો માટે જ કરેલો, છતાં ખામી ક્યાં રહી ગઈ? દોષોના ત્યાગ માટે ભગીરથ પુરુષાર્થ કરવા છતાં અંદરમાં શું ખૂટ્યું?? આત્મામાંથી પાપના મૂળીયા કેમ ઉખેડી ન શક્યો?? ગુણોનું બીજાધાન કેમ ન કરી શક્યો?? મોક્ષમાર્ગમાં પ્રવેશી પણ ન શક્યો અને મોક્ષમાર્ગથી બહાર રખડતો રહ્યો.. આવું કેમ થયું?? ખૂટતી કડી શું છે?

Reviews

There are no reviews yet.

Be the first to review “Paapo no viraam guno nu bijadhaan – Panchsutra (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *